લિનોવો ટેબલેટ વિતરણ
શ્રી સર્વજ્ઞવીતરાગાય નમઃ
કળીકાળ સર્વજ્ઞદેવ શ્રી કુન્દકુન્દ આચાર્ય દેવ અને બીજા સમર્થ આચાર્ય દેવોએ રચેલા શાસ્ત્રો તથા આપણા તારણહાર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો અને પ્રશમમૂર્તિ ભગવતી માતાના તત્વ ચર્ચાઓનું સંકલન “લેનોવો ટેબ્લેટ” માં કરેલ છે તે જ્ઞાનપીપાશુ મુમુક્ષુઓ માટે રૂ. 7000/- માં આપવામાં આવશે.
આ ટેબલેટ લેવા ઇચ્છતા મુમુક્ષુએ રૂ 7000/- સાથે નીચે જણાવેલ અરજી પત્ર તેમજ નિયમ પત્રમાં સર્વે વિગત સહિત પોતાના મંડળના ટ્રસ્ટીની સહી કરાવી મંડળમાં જમા કરાવવાની રહેશે.
ટેબલેટ વિતરણના અલોટમેન્ટના નિર્ણય બાદ ટેબલેટ આપના મંડળમાં મેળવી શકાશે.
અંતમાં દરેક મંડળે સર્વ ફોર્મ સાથે સંપૂર્ણ રકમનો ડ્રાફ્ટ શ્રી સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ને મોકલવાનો રહેશે.
વિતરણ સંબંધિત તમામ માહિતી આપને માત્ર પોતાના મંડળમાંથી પ્રાપ્ત થશે.